કપાસમાં ચૂસીયાં જીવાતોની સમસ્યા અને ઉપાય : આટલા પગલા લઇ કપાસ બચાવી શકાય

કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે. વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ઉપદ્રવ વધુ જણાય તો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી 8 મીલિ અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ, ડાયફેન્થ્યૂરોન ૫૦ વેપા 15 ગ્રામ, ડીનોટોફ્યૂરામ ૨૦ એસજી 15 ગ્રામ, પ્રોફેનોફોસ ૫૦ ઇસી 15 મીલિ, ફિપ્રોનિલ ૫ એસસી 30 મીલિ, એસીફેટ ૫૦% ઈમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી 15 મીલિ, એસીફેટ ૨૫% ફેનવાલરેટ ૩% ઇસી 15 મીલિ પૈકી કોઈપણ એક કીટનાશક 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.